અડદની વૈજ્ઞાનિક ખેતી (Black Gram Cultivation)

અડદ એ એક કઠોળ છે. આનું શાસ્ત્રીય નામ વીગ્ના મુંગો છે. આને અંગ્રેજીમાં બ્લેક ગ્રામ અથવા બ્લેક લેન્ટીલ નામે ઓળખાય છે. આ કઠોળ દક્ષિણી એશિયામામ્ ઉગાડવામાં આવે છે. અડદનું મૂળ ઉદ્ગમ ભારત મનાય છે. પ્રાચીન સમયથી ભારતમાં અડદ ખવાતા આવ્યા છે. અડદની ખેતી ચોમાસા અને ઉનાળામાં થઇ શકે છે.

જમીનની પસંદગી અને તૈયારી

ગોરાડું તેમજ ડાંગરની ક્યારાની જમીન કે જેમાં સેન્દ્રીયતત્વ વધારે હોય તેવી જમીન અડદનાં પાકને વધુ માફક આવે છે. ખુબ જ રેતાળ અને જેનો પી.એચ. આંક ઉંચો હોય તેમજ કૃમીનો ઉપદ્રવ હોય તેવી જમીનમાં અડદનો પાક સારો થતો નથી.

અડદનું (Black Gram) સારું ઉત્પાદન લેવા માટે ૧૦ ટન સારું કોહવાયેલું છણીયું ખાતર જમીનમાં મીશ્ર કરવું જેથી જમીનની ફળદ્રુપતામાં સુધારો થાય સાથે ભેજ સંગ્રહ શક્તિ અને ઉત્પાદન વધે.

જાતોની પસંદગી

ચોમાસુ અડદની જાત: ગુજરાત અડદ-૧, ટી-૯,ટી.પી.યું-૪

ઉનાળું અડદની જાત: ગુજરાત અડદ-૧, ટી-૯

બીયારણ દર અને બીજ માવજત

એક હેક્ટર જમીનમાં વાવણીયાથી ઓરીને વાવેતર કરવા ૧૫ થી ૨૦ કિ. જયારે પંખીને વાવણી કરવા ૨૦ થી ૨૫ કિ. બિયારણની જરૂર પડે છે. જમીન અને બીજજન્ય રોગોથી પાકને બચાવવા તથા એકમ વિસ્તારમાં છોડની પૂરતી સંખ્યા જાણવવા બીજને થાયરમ અથવા કાર્બનડેઝીમ ફુગનાશક દવાનો ૩ ગ્રામ પ્રતિ કિલો પ્રમાણે પટ આપવો.

બીયારણને રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપવો. કઠોળ પાકના મૂલમાં વાવણા પછી ૨૦ થી ૨૫ દિવસે રાઇઝોબીયમ જીવાણું દ્રારા મૂળચંડિકાઓ બનવાની શરૂઆત થાય છે. આ ગંડિકાઓ દ્રારા હવામાં રહેલ નાઇટ્રોજનનું છોડનાં ખોરાક માટે રાઇઝોબિયમ જીવાણું મારફત રૂપાંતર અને સ્થાયિકરણ થાય છે પરિણામે છોડની વૃધ્ધિ અને વિકાસમાં નોંધપાત્ર વધારો થાય છે. બીજ વાવતા પહેલાં ૮ કિ. બીયારણ દીઠ ૨૫૦ ગ્રામ રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપવો.

વાવેતર સમય

ચોમાસું અડદનું દક્ષિણ ગુજરાતમાં જુન-જુલાઇ માસમાં તા. ૧૫ સુધીમાં વાવેતર કરવું. ઉનાળું અડદનું વાવેતર ૧૫ ફેબ્રુઆરી થી ૧૫ માર્ચ સુધીનાં સમયગાળા દરમ્યાન કરવાથી વધુ ઉત્પાદન મળે છે.

વાવેતર અંતર

અડદનું (Black Gram) વાવેતર બે ચાસ વચ્ચે ૩૦ થી ૪૫ સે.મી રાખી કરવી. વધુ ઉત્પાદન મેળવવા માટે એકમ વિસ્તારમાં છોડની સંખ્યા જળવાઇ એ ખુબ જ અગત્યનું છે. બીજનો ઉગાવ થયા બાદ જ્યાં ખાલી પડેલ હોય તો બીજ વાવીને ખાલા પુરવા અને જયા વધુ છોડ હોય તો ૧૦ થી ૧૨ દિવસમાં પારવણી કરી બે છોડ વચ્ચે ૧૨ થી ૧૫ સે.મી. અંતર રાખવું.

ખાતર વ્યવસ્થાપન

અડદ માં વાવણી સમયે પાયાનાં ખાતર તરીકે હેક્ટર દીઠ ૨૦ કિ. નાઈટ્રોજન(યુરીયા રૂપે ૪૪ કિ.) અને ૪૦ કિ ફોસ્ફરસ (સીંગલ સુપર ફોસ્ફટ રૂપે ૨૫૦ કિ. અથવા ડી.એ.પી. રૂપે ૮૭ કિ.) બીજ વાવણી પહેલા ચાસમાં ઓરીને આપવું. તદઉપરાંત ૨૦ કિ.સલ્ફર પ્રતિ હેક્ટરે આપવાથી ઉત્પાદનની સાથે પ્રોટીનનૂ પ્રમાણ વધવાથી ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો થાય છે.મગનાં મૂળમાં રાઇઝોબિયમની પ્રવૃતિ થતી હોવાથી છોડ પોતે હવામાન નાઈટ્રોજન વાપરવાની શક્તિ મેળવી લે છે જેથી મગને પુર્તિ ખાતરની જરૂરીયાત રહેતી નથી.

પિયત વ્યવસ્થાપન

ચોમાસામાં મોટે ભાગે પિયતની જરૂર પડતી નથી પણ જો વરસાદ ખેચાય અને પિયતની સગવડ હોય તો જરૂર મુજબ હલકુ પિયત કરવું. ઉનાળુ અડદને વાવણી કરી પ્રથમ પિયત કરવું, ત્યાર બાદ બીજુ પિયત ૨૫ થી ૩૦ દિવસે ફુલ આવવાની શરૂઆત થાય પછી આપવુ. ફુલ આવવાની શરૂઆત પહેલા વધુ પડતો ભેજ અને નાઇટ્રોજનની વધારે લભ્યતા છોડની એકલી વાનસ્પતિક વૃધ્ધિ કરે છે. જમીન હલકી હોય તો ૨૦ દિવસે પિયત આપવુ અને ત્યાર પછી ૧૦ થી ૧૫ દિવસનાં અંતરે ૩ થી ૪ પિયતની જરૂર પડે છે. મગનાં પાકને ડાળી ફુટવાની અવસ્થાએ,ફુલ અવસ્થામાં અને શિંગોમાં દાણા ભરાવવાની અવસ્થાએ પિયત અવશ્ય આપવું.

નિંદણ નિયંત્રણ

છોડની વૃધ્ધિ અને વિકાસ માટે જમીનમાં રહેલ જરૂરી પોષક તત્વો, ભેજ, હવામાં રહેલ નાઇટ્રોજન, પ્રાણવાયુ, અંગારવાયુ અને પ્રકાશનું નિદામણ દ્વારા બિનજરૂરી શોષણ ન થાય તે માટે પાકને પ્રથમ ૩૦ દિવસ સુધી નીંદણ મુક્ત રાખવો જોઇએ.મગમાં એક આંતરખેડ કરી એક થી બે નીંદામણ મજુરો દ્વારા કરાવવાં. મજુરોની અછત હોય ત્યારે હેક્ટરે ૧.૨૫ કિ.ગ્રામ પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ) ૩.૩ લી નીંદામણનાશક દવા વાવેતર કર્યા પછી અને બીજનાં ઉગાવા પહેલાં ૫૦૦ લી. પાણામાં ઓગાળી છંટકાવ કરવાથી નીંદણ નિયંત્રણ સારી રીતે થઇ શકે છે.

કાપણી

અડદનાં પાકમાં છોડ પર મોટા ભાગની શિંગો પાકીને અર્ધ સુકાયેલ જણાય ત્યારે સવારનાં સમયમાં પાકી શિંગોની એક થી બે વીણી કરવી. બધી શિંગો એક શાથે પાકી જાય તેમ હોય તો છોડની કાપણી કરી ખેતરમાં પાથરી દઇ સુકવી ખળમાં અથવા બ્રેશરથી મગનાં દાળા છુટા પાડવા.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.